શ્રમદાન મહાદાન.

વાત આમતો નાની છે પણ નોધ લેવી પડે તેમ છે.વડગામ મા આવેલ લક્ષ્મણપુરા ના પાંચ થી છ યુવાનો ધ્વારા ઉદાહરણરૂપ કાર્ય કરી અન્ય યુવાનોને નવો રાહ ચિન્ધતા કિમતી સમયનો સદઉપયોગ પણ થઈ શકે તે ચરિતાર્થ કરી બતાવ્યુ છે.

વાત એમ બની કે તા.તા.૧૭.૦૭.૨૦૧૧ ના રોજ ગામના યુવાનો ધ્વારા લક્ષ્મણપુરામાં  આવેલ અંબાજી  મંદિર માં  વ્રુક્ષારોપણ  કરવામા આવ્યુ હતુ.ત્યાર બાદ મંદિર સંકુલ માં આવેલ પાણીની ટાંકી માંથી અઠવાડીયા માં બે દિવસ તમામ વ્રુક્ષો ને પાણી આપવાની વ્યવસ્થા કરવામા આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ રીતે પાણી આપવામા આવતુ હતુ પણ પાણીની લાઈનમાં લિકેજ હોવાથી તેમજ રબરની પાઈપથી મુખ્ય જગ્યાએ થી કનેક્શન લેવામા આવ્યુ હતુ આનાથી ઘણુ પાણી ટાંકીની બહાર વહી જતુ હોવાથી કોઈ વ્યક્તી ધ્વારા મુખ્ય કનેંક્શન બંધ કરી દેવામાં આવ્યુ હતુ.

આ વાતની જાણ મને  ૧૦ થી ૧૫ દિવસ બાદ થતા મે કારીગરને બોલાવી વ્યવસ્થિત ટાંકી સુધી  પાઈપ લાઈન નળ સાથે નાખવા બતાવ્યુ ત્યારે કારીગરે વાયદો કર્યો કે ૨ દિવસ પછી હું કરી જઈશ,મે કહ્યુ ભાઈ આજે રવિવાર છે મારે રજા છે અને તુ આ કાર્ય ઝડપી કરી નાખ અને ૧૫ ઝાડવા જે વ્યવ્સ્થિત રીતે ચોંટી ગયા છે તે પણ પાણીના અભાવે સુકાય છે.તે દરમિયાન ત્યા ઉભેલા ગામના યુવાનોએ આ વાત સાંભળી અને મને કહ્યુ નિતિનભાઈ અમે આ કાર્ય કરી નાખીશુ અમને જરૂરી વસ્તુઓ લાવી આપો,મે વિચાર્યુ આ યુવનોને આ કામ ફાવશે કે કેમ અને પુરૂ કરશે કે કેમ,તેમ છંતા વિચાર્યુ લાવો તક મળી છે અને યુવાનો સામેથી કહે છે તો પરીક્ષા કરી લઈએ કે કેવુ કામ કરે છે અને એમ માની મે એમના પર વિશ્વાસ મુક્યો,કામ અઘરૂ હતુ લાંબો અને લગભગ ૩ થી ચાર ૪ ફૂટ ઉંડો ખાડો ખોદવાનો હતો,આ તો ઠીક પણ આજ સુધી સાફ ન થયેલ ટાંકીમાંથી ગંદકી દૂર કરીને તેમા પડેલ રોડા તથા અન્ય કચરાઓ સાફ કરવાનો હતો અને બીજા જ દિવસે ટાંકી પાણી સાથે તૈયાર કરવાની હતી.યુવાનોને જોઈતી સામગ્રી કારીગરીને પૂછીને પુરી પાડી યુવાનોએ જણાવ્યુ નિતિનભાઈ તમે જાઓ,કામ અમે કરી નાખીશુ.

મન મા શંકા હતી કે આ કાર્ય થયુ ત્યારે ખરુ નહીતો સામાન લાવેલો પણ માથે પડશે,પણ મન મા એ વાતનો આનદ હતો કે યુવાનો કઈંક સારૂ કાર્ય કરવા જઈ રહ્યા છે અને યોગ્ય દિશા તરફ વળી રહ્યા છે તો ચાલો આપણે પણ જોઈએ શુ થાય છે?,અને સાચે જ એ કાર્ય યુવાનોએ કરી બતાવ્યુ હુ જ્યારે તેઓ કામ કરતા હતા ત્યારે ગયો તો તેઓ પુરી લગન થી કામ મા મશગુલ હતા અને મે એ દરમિયાન હાથવગા કેમેરાથી અમુક ફોટા  કેમેરા મા કેદ કર્યા અને મનને સંતોષ થયો કે ચાલો યુવાનો મા તાકાત તો છે કે અશક્યને પણ ધારે તો શક્ય કરી શકે,માત્ર જરૂરને તેમનામા વિશ્વાસ મુકવાની જરૂરી માર્ગદર્શનની અને સહયોગની,જો મે ગ્રામપંચાયત મા વાત કરી હોત તો ? યુવાનોને યોગ્ય દિશા આપવામા આવેતો ? યોગ્ય માર્ગદર્શન , દિશા અને પ્રોત્સાહન વગર આ જ યુવાનો તોડફોડ પણ કરી શકે.મને લાગે છે કે યોગ્ય માર્ગદર્શન અને યુવાનોમા વિશ્વાસ થકી વિકાસ તરફી ઘણુ પરિવર્તન આવી શકે. આ યુવાનો નુ શ્રમદાન સમાજ માટે એક મહાન દાન ગણી શકાય.વડીલોએ વિચારવુ રહ્યુ !!!….

Categories: પરિવર્તન | 2 Comments

Post navigation

2 thoughts on “શ્રમદાન મહાદાન.

  1. Great Nitinbhai… Its very impressive…:)

  2. Patel Mehul

    It really a very good and appreciated job done by the team of youngster.
    Congratulation to them and you.

    Patel Mehul

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.