આહ ! સુરત, વાહ ! સુરત……. તારી સાથે ગુજારેલી હર એક પળ ખૂબસુરત…….
તા.૨૪-૨૫ ફેબ્રુઆરીની સુરત ની મુલાકાત નક્કી થઈ,જીવન માં પ્રથમ વખત સુરત જતો હોઈ મન માં કઈંક રોમાંચ હતો.સુરત વિશે સાંભળેલુ કે સુરત એ હિરાની નગરી છે,સુરતની ઘારી,સુતરફેણી અને સાડી ખૂબ વખણાય છે અને સુરતીની પહેચાન લહેરીલાલા તરીકે જાણીતી છે.તા.૨૪ ફેબ્રુઆરીને સવારના ૬.૩૦ કલાકે સુરતની ધરતી પર પગ મુક્યાને તા.૨૫ ફેબ્રુઆરી ને રાત્રે ૧૦.૪૫ કલાકે સુરત છોડ્યાને જે મુલાકાતો થઈ,જે નવુ જાણવા મળ્યુ અને જે ધાણધારની ધરતીની માનવતાની મહેંક સુરતમાં અનું ભવી તેનો સંક્ષિપ્ત અહેવાલ લખવાનો અહી નમ્ર પ્રયાસ કર્યો છે.
સવારે ૬.૩૦ કલાકે સુરત પહોંચી માતૃશ્રી રતનબેન વિરસંગભાઈ ગોકળભાઈ ભટોળ અતિથીગૃહ માં ઉતરી આરામ કરી રહ્યા હતા અને ત્યા તો સવારે ૭.૦૦ વાગે મોબાઈલ માં મિત્રનો નબર રણક્યો ..ભાઈ તૈયાર થઈ જાઓ હું આવુ છુ..જીવન માં પ્રથમ વખત સ્લીપીંગ કોચમાં મુસાફરી કરી હતી પ્રથમ અનુભવ હોવાથી પુરતી ઉંઘ મળી ન હતી ઉજાગરાની અસર હતી.મિત્ર સવારે ૭.૩૦ કલાકે ઉતારે આવી પહોંચ્યા અને અમે પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને અમારી સુરત સફરની શરૂઆત થઈ સુરતના પ્રખ્યાત ગોપાલ ના સુરતી લોચા ના નાસ્તા થી અને ચા થી.સ્વાદિષ્ટ નાસ્તા ની મિઝબાની બાદ અમે મુળ વડગામના અને સુરત સ્થિત જૈન શ્રેષ્ઠી એવા શ્રી પ્રકાશભાઈ ના પુત્રના લગ્ન ના રીશેસ્પશનમાં વડગામથી અમારા સાથેના મિત્ર શ્રી રઘનાથભાઈ ને આમંત્રણ હોવાથી અમે પણ સાથે આ પ્રસંગ માં હાજરી આપવા નીકળ્યા.રસ્તામાં અમારા સગાવહાલાના પણ મકાન આવતા હોવાથી ચાલો આટલે સુધી આવ્યા છીએ તો તેમને પણ ૧૦ મિનિટ મળતા જઈએ અને અમે શ્રી વાઘજીકાકા-રમીલાફઈ અને માંનસંગફુઆ અને લીલાફઈને મળવા ગયા,તેઓએ પણ અમને ખુબ જ આદર સ્ત્કાર કર્યો અને ચા-નાસ્તો કરાવ્યા ત્યારબાદ અમે સુરતના ગોડદોડ વિસ્તારમાં આવેલ અગ્રવાલ સમાજ ભવન પહોંચી ગયા. અગ્રવાલ સમાજ ભવન માં આયોજીત સુંદર લગ્ન પ્રસંગમાં ઘણુ શીખવાનું અને જાણવાનું મળ્યુ.વડગામના વતની હોવાના નાતે અમને પણ ઉમળકાથી વડગામના જૈન પરિવાર તરફ્થી ઉમળકાભેર આવકાર અને પ્રેમ મળ્યો.આ પ્રસંગ માં ભોજન પહેલા લગ્ન પહેલાની જૈન વિધી અને સંગીત નો કાર્યક્રમ હતો, આ કાર્યક્રમ માં વિશેષ બાબત એ ગમી કે જે યુવાનના લગ્ન હતા તેના દરેક પરિવારજનો (નાના ભુલકાઓ થી માંડીને મોટેરાઓ સુધી) એ વારાફરથી સુંદર પોતાના પસંદગી ના ગીત-સંગીત ના તાલે અફલાતુન ડાંસ કર્યા અને આખો હોલ સંગીતમય અને આનંદમય બની ગયો.આની પાછળનું રહસ્ય મને એ લાગ્યુ કે પરિવારજનો એ આ આનંદના ઉત્સવમાં સહભાગી થવાનું અને પ્રસંગને ભરપુર માણવાનો..લગ્ન પહેલા વર-વધુને સાથે સંગીતના તાલે ઝૂમતા જોઈ પ્રસંગની ગરીમાં દિપી ઉઠી..જ્યુસ અને સ્વીટ સાથે જૈન શ્રેષ્ઠીના પ્રસંગને માણતા આગલા દિવસનો અમારા પ્રવાસનો થાક ક્યારે ઉતરી ગયો તેની ખબર પણ ના પડી.વિવિધ વ્યંજનો સાથે ના સ્વાદિષ્ઠ ભોજન લીધા બાદ છૂટા પડતી વખતે મે પ્રકાશભાઈને મળીને એ જાણવાનો પ્રય્ત્ન કર્યો કે આટલો અદભૂત ડાંસ પરિવારના દરેક સભ્યો કેવી રીતે કરી શક્યા તો તેઓ એ જણાવ્યુ કે અમે આની આગોતરી તૈયારી અને ટ્રેનીંગ લીધી છે. દરેક પરિવારજનો ના આનંદ અને ઉત્સાહ વગર લગ્ન પ્રસંગ ની યોગ્ય ઉજવણી ના ગણાય.જૈન શ્રેષ્ઠીના પરિવારજનો માં આવો ઉસ્તાહ ને આનંદ જોવા મળતો હતો.જૈન શ્રેષ્ઠી તરફ થી બીજા દિવસે વરઘોડામાં અને લગ્ન વખતે હાજર રહેવાનું ઉસ્માભર આમંત્રણ મળ્યુ પણ સમયના અભાવે એ શક્ય નહોતુ,પણ વતન ના વ્યક્તી પ્રત્યેનો લગાવ ત્યા અમને સતત અહેસાસ કરાવતો રહ્યો અને ધાણધારની ધરતી ની મહેક પ્રસરાવતો રહ્યો તેની અનુભુતિ અમને અમારી આ પ્રસંગ માં ત્રણ કલાકની હાજરીથી ચોક્કસ થઈ.
સુરત સ્થિત વડગામ તાલુકાના કોદરામના મનોજભાઈ પ્રજાપતિ નો સતત આગ્રહ હતો કે નિતિનભાઈ સુરત આવો,છેલ્લા ૬ મહિનાથી અમે સુરતની મુલાકાત માટે ચર્ચા કરી રહ્યા હતા અને આખરે તેમની મુલાકાતે પહોંચી ગયા.સુરતમાં સરગમ બિલ્ડરસ ના નામે ચાલતા બિલ્ડર્સના ધંધા સાથે તેઓ સંકળાયેલા છે.સુરત માં આવો ત્યારે મારે ઘેર જ રહેવાનું છે અને જમવાનું છે તેવો તેમનો ખાસ આગ્રહ હતો કારણ કે આની પાછળ તો આખરે તો વતન ના વ્યક્તી પ્રત્યેનો પ્રેમ હતો અને લાગણી હતી.મનોજભાઈનો જન્મ આમ તો સુરત માં જ થયેલો પિતા શ્રી લવજીભાઈ પ્રજાપતિ વર્ષો અગાઉ સુરત ખાતે કન્સ્ટ્રકશન ના ધંધા ની શરૂઆત પાંચ ભાગીદારો સાથે કરેલી જે “સરગમ બિલ્ડર્સના” નામે સુરત માં તેમના કાર્યો થકી વિશેષ નામના ધરાવે છે અને અનેક ભવ્ય ઇમારતો નું નિર્માણ સરગમે કર્યા છે.આમાં વાંચકને થશે કે એમાં શું નવુ લખ્યુ ? ઘણા લોકો આવા ધંધા સાથે સંકળાયેલા છે.મને આ લેખમાં સરગમ નો અને મનોજભાઈનો ઉલ્લેખ કરવા પાછળ થોડુક કારણ જણાયુ. અઢળક સંપત્તિના માલિક હોવા છતા સંપત્તિનું જરાયેય અભિમાન નહિ.સુરત માં જન્મ થયો હોવા છંતા વતન પ્રત્યેનો પ્રેમ અને લાગણી અકબંધ.જરૂરિયાતોને મદદરૂપ થવાની ભાવના,સમાજ ઉપયોગી કાર્યો,ઇશ્વર પર અડગ આસ્થા અને વડગામ મહાલના વ્યક્તિ શ્રી લવજીભાઈ અને ત્યારબાદ તેમના પુત્ર શ્રી મનોજભાઈ ની સુરતમાં નોંધપાત્ર વિકાસયાત્રા ..આખરે તો પિતાની ખાનદાની તેમનામાં રજે રજ જણાઈ આવે તેવા માનવીને શોભે તેવો નમ્ર વ્યહવાર અને સમજ.
મારા મિત્ર રઘનાથભાઈ મને ઘણીવાર કહેતા કે ઘણા પાસે પૈસો છે પણ દિલ નથી અને દિલ છે પણ પૈસો નથી પણ જેની પાસે પૈસો અને દિલ બન્ને છે તેવી વ્યક્તીઓ સમાજ માં ઘણી ઓછી જોવા મળે છે.મનોજભાઈને મળ્યા બાદ રઘનાથભાઈ એ હળવે થી મને કહ્યુ કે આ મનોજભાઈ પાસે બન્ને છે અને તેથી તેઓ વિશેષ છે.
અને હા આ સરગમ બિલ્ડર્સ સુરત માં ચાલતા સુરત માનવ સેવા સમાજ સંઘ અને તેને સંલગ્ન ચાલતી છાયંડો સંસ્થા સાથે સંકળાયેલા છે અને અઢળક દાન તેમના તરફ્થી આ સંસ્થાને મળતુ રહે છે. વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને મનોજભાઈના પિતા શ્રી લવજીભાઈ પ્રજાપતિ અને મનોજભાઈએ પોતાની પેઢી ઉપરાંત વ્યક્તિગત રીતે પણ અનેક દાનની સરવાણી વહાવી છે.આવા મનોજભાઈ એ અમારુ તેમના સરગમ ભવનમાં ઉસ્માસભર સ્વાગત કર્યુ, ઘણી વખત કહેવાય છે કે લાગણીઓનું વર્ણન ન થઈ શકે તે તો અનુભવવાની વસ્તુ છે અને આ વતનના વ્યક્તિ પ્રત્યેના લાગણીના અનુભવો અમને સતત મનોજભાઈ સાથે રહ્યા ત્યા સુધી થતા રહ્યા.
ચા-પાણી કર્યા બાદ તેઓ પોતાની સ્ક્વોડા ગાડીમાં ડુમ્મસ ફરવા લઈ ગયા તે દરમિયાન સતત સુરત વિશે ની તેમજ તેમના સરગમ ગ્રુપ ધ્વારા ચાલતી સાઈટોની માહિતી અવિરત તેમના તરફ થી મળતી રહી,દરમિયાન ડુમ્મસ થી પરત ફરતા તેમના ગ્રુપ ધ્વારા ચાલતુ એક બિલ્ડીંગ કંસ્ટ્રક્શન જોવા તેઓ લઈ ગયા.વિશાળકાય બાંધકામ જોઈ અમે તો છક થઈ ગયા,આમાં અમને એક વિશેષ ટેકનોલોજી વિશે જોવાનું અને જાણવાનું મળ્યુ.આ ટેલનોલોજીનું નામ RMC Machine Technology,જેમાં આ મશીન સોફ્ટવેર પ્રોગ્રામ થકી એકસરખા પ્રમાણ માં પાણી,કાંકરી અને સિમેંટ નો માલ બનાવી ૯ માં માળ સુધી પાઈપ લાઈન ધ્વારા આ મટેરીયલ પહોંચાડી આપે.આમાં વિશેષતા એ હતી કે એક સરખા પ્રમાણ માં જરૂરી માલ જાય અને એક સરખા પ્રમાણ માં બિમ ભરાય અને ઓછા મજુરે કામ સરળતાથી ચાલ્યા કરે.જો આવા વિશાળ બિલડીંગમાં ટેકનોલોજીના ઉપયોગ વગર માત્ર મજુરોથી કામ કરવાનું હોય તો દિવસો નીકળી જાય,જે ટેકનોલોજીના માધ્યમ થકી ઓછા સમય માં થઈ શકે,ખેર અમારા માટે તો આવા સાધન અને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા સિવાય બીજુ કોઈ મહત્વ ન હતુ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કેવા કામો કરી શકે તે ઉદાહરણરૂપ કાર્ય જોવા મળ્યુ અને બાંધકામ ક્ષેત્રે આ નવિન ટેકનોલોજી જોઈ વિશેષ આનંદ થયો.ત્યારબાદ મનોજભાઈ અમને સુરત માં પ્રખ્યાત અંબાજી માતાના દર્શનાર્થે લઈ ગયા અમે તાપી નદીના કિનારે આવેલ મંદિર માં અંબાજી માતા ના દર્શન કરી ધન્યતા અનુભવી.
ત્યારબાદ સુરત માનવ સેવા સંઘ અને તેની સંલગ્ન સુરત સિવિલ પ્રાંગણ માં ચાલતી છાયંડો સંસ્થાની મુલાકાતે મનોજભાઈ અમને લઈ ગયા અને જે માહિતી અમને મળી તે જાણી ખરેખર આવી સંસ્થાઓને અને આવી સંસ્થાઓને દાન આપનાર દાતાશ્રીઓને સલામ કરવાનું મન થઈ જાય એટલુ અદભુત માનવસેવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે.સમાજ માં થતા બિનજરૂરી ખર્ચા બંધ કરી લોકભાગીદારીથી આવા કાર્યો થાય તો માનવ સમાજની અને જરૂરિયામંદ ની કેટલી સેવા થઈ શકે તે જાણવા મળ્યુ. સંસ્થા ધ્વારા વિવિધ મેડિકલ સેવાઓ જરૂરિયાત વાળા દર્દીઓને નજીવા દરે અથવા તો વિનામૂલ્યે ઉપલ્બ્ધ કરાવી સહાયરૂપ થઈ રહી છે. વડગામ તાલુકાના કોદરામના વતની અને મનોજ્ભાઈના પિતાશ્રીએ સંસ્થાના પ્રાંગણ માં ચાલતી દર્દીઓના સગાઓ માટેની સંસ્થામાં રૂ.૧૧,૦૦,૦૦૦ જેટલુ માતબર દાન આપ્યુ છે,જેના થકી દર્દીઓના સગાઓને માત્ર ૩ રૂ.ના ટોકન દરે ભોજન ની સુંદર સુવિધા પુરી પાડવામાં આવે છે.
સુરત માનવસેવા સંઘની સુંદર પ્રવ્રુતિઓને જોઈ મન પુલકીત થઈ ઉઠ્યુ..વાહ દિશા બદલાય તો ગામડા લેવલે પણ કેટ કેટલા સમાજ ઉપયોગી કાર્યો થઈ શકે તેનો અંદાજ આવ્યા વગર ના રહ્યો.
મનોજભાઈનો આગ્રહ હતો કે રાત્રી ભોજન મારા ઘરે લેવાનું છે અને રાત્રી રોકાણની પણ વ્યવ્સ્થા પણ મારા ઘરે છે અને મારા ઘરે રોકાઈ જાવ..અમે રાત્રી ભોજન મનોજભાઈના ઘરે મનોજભાઈ સાથે લેવાનું સ્વીકાર્યુ..જ્યારે અમે મનોજભાઈના આલિશાન બંગલે પહોચ્યા ત્યાતો એ જ સત્કાર અને ભાવના મનોજભાઈ ના પત્નિ ની જોવા મળી,અમારા માટે અનેક સ્વાદિષ્ટ વાનગીઓએ બહેને એકલે હાથે અને જાતે તૈયાર કરી અમને ભાવ થી જમાડ્યા…ફરીથી ધાણધાર પંથક ની માનવતા ની મહેંક લઈ અમે વિદાય લેવાની તૈયારી કરી ત્યા તો મનોજભાઈ એ જણાવ્યુ કે હું તમને ગાડીમાં તમારા ઉતારાના સ્થળે ઉતારી જઈશ.અમે કહ્યુ કે અમે રીક્ષા માં જતા રહીશુ તમારે તકલીફ લેવાની જરૂર નથી.માને તો મનોજભાઈ શાના ? ઉપરથી અમને કહ્યુ સવારે તમારે કોઈ જગ્યાએ જવુ હોય તો કહેજો મારો ડ્રાઈવર ગાડી લઈને તમને લઈને મુકી જશે…:)) અમને મુકવા માટે મનોજભાઈ પોતાની ગાડી લઈને આવી રહ્યા હતા ત્યા તો વચમાં વડગામ ના એક જૈન શ્રેષ્ઠીનું ઘર રસ્તામાં જ હતુ,તેઓ શ્રી અમને અગ્રવાલ સમાજ ભવન માં મળ્યા હતા અને તેમનો ખુબ આગ્રહ હતો કે મારા ઘરે તમારે સાંજે આવવાનું છે..નામ તેમનું શશીકાંતભાઈ…ઘરે એટલો જ આવકાર પતિ-પત્નિ નો મળ્યો..જમીને આવ્યા હોવા છંતા સુકો મેવો અને આઈસ્કીમ ની મહેમાનગતી આગ્રહસભર કરાવી..થોડીક વાર બેસી અમે ધાણધાર પંથકની માનવતાની મહેક માંણતા શશીકાંતભાઈની વિદાય લિધી અને દરમિયાન મારા બચપણ માં સાથે રમેલા મિત્ર વિજય રાવલનો ફોન અમારા સાથે આવેલ કમલેશભાઈ ઉપર આવ્યો,જો કે મે એમને સમયના અભાવે તેમને અમારી સુરત મુલાકાત વિશે કશુ જણાવ્યુ ન હતુ અને ખબર હતી કે વિજયભાઈ જાણશે કે અમે સુરત માં છીએ તો અમને છોડશે નહિ..અમારી બન્ને દિવસને મુલાકાત એમની સાથે જ પુરી કરવી પડશે..:)) વિજયભાઈને ખબર પડતા ફોન માં જણાવી દીધુ હું તમે છો ત્યા આવુ છુ ત્યા જ ઉભા રહેજો…અને વિજયભાઈ એ તો આવીને તેમના સ્વભાવ મુજબ ઠપકો આપવાનું ચાલુ કરી દીધુ…રાત્રે લગભગ ૧૦ વાગી ચુક્યા હતા અને અમે થાકી ને લોથપોથ થઈ ગયા હતા.છતા આ તો વિજયભાઈ છોડે તો વિજયભાઈ શાના ? અમને આદેશ થઈ ગયો ગાડીમાં બેસો અમે કહ્યુ ચાલો તમે અમને ઉતારે ઉતારી જાઓ અને મનોજભાઈને રજા આપીયે.અમે ત્યાંથી મનોજભાઈને વિદાય આપી અને વિજયભાઈ સાથે વાતે વળગ્યા..વિજયભાઈએ કહી દીધુ આપણે ત્યા રાત્રી રોકાણ કરવાનું છે,શરમ આવતી હોય તો સારી હોટલમાં બુકીંગ કરી આપુ..તેમનામા અમારા આવા વ્યહવારનો અસંતોષ સ્પષ્ટ દેખાઈ આવતો હતો…એમની લાગણી હતી કે મારા મિત્રો સુરત માં અગવડમાં કેમ રહે..હા ના કરીને અમે કહ્યુ ચાલો વિજયભાઈ તમારા ઘરની ચા પી લઈએ બસ..મહામહેનતે વિજયભાઈને સમજાવી તેમના ઘરે આઈસક્રીમ ખાવા તો જવુ જ પડ્યુ.રાત્રે લગભગ ૧૦.૩૫ વાગે પોતાની સ્વીફ્ટ ગાડીમાં આખા રસ્તે અમને ઠપકો આપતા આપતા ઉતારે મુકવા આવ્યા અને કહ્યુ સવારે તમારે જ્યા જવુ હોય ત્યા મારી ગાડી લઈ જાઓ અને સાથે ડ્રાઈવર પણ મોકલુ. એમની ઈચ્છા હતી કે મારા ગામના મિત્રોને કોઈ જ તકલીફ સુરતમાં ના પડવી જોઈએ…વતનની મહેક સવારે ૭.૩૦ થી શરૂ કરીને રાત્રે લગભગ ૧૧ વાગ્યા સુધી સુરત માં સતત માંણતા માંણતા અને સુરતના લોકોની મહેમાનગતી આતિથ્યભાવનાથી લાગણીસભર અમે નિદ્રાદેવીની શરણે ગયા.
સુરત માં દરેક જગ્યાએ સુંદર અને સ્વચ્છ રોડ બની ગયા છે..ખરેખર મને તો વડોદરાની યાદ આવી ગઈ તેટલી ચાહવા લાયક નગરી એક સમયની બદસુરત ગણાતી નગરી સુરત ની સુરત બદલાઈ ગઈ છે.પુર,અને પ્લેગ જેવી તકલીફોનો સામનો કરી આ નગરી કઈંક બોધપાઠ લઈને સતત વિકાસ કરી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી…પ્રજા અને શાસન નું મનોબળ મક્કમ હોય તો અશક્ય વસ્તુ શક્ય બની શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી…:)).રાત્રે જ્યારે અમે અમુક જગ્યાએ ફ્લેટો માંથી સુરતની રોશની નિહાળી ત્યારે એક સમયે એવુ લાગ્યા વગર ન રહ્યુ કે સુરત માં છીએ કે કોઈ વિદેશમાં ?આ જ રીતે ઘણી વખત રોદ્રરૂપ ધારણ કરતી તાપી નદી સુંદર લાગી રહી હતી અને શાંત જણાતી હતી.મનમાં વિચાર આવ્યો આ નદી ધારે તો કેટલો વિનાશ વેરી શકે છે.આખરે તો કુદરતી વિનાશ એ માનવીય ભુલોનું જ પરિણામ છે.સુરત માં હાલ વિકાસના નામે ક્રોકીંટના જંગલો ઉભા થઈ રહ્યા છે ,છેક ડુમસ સુધી મકાનોનું કામકાજ ચાલુ થઈ ગયુ છે,વિકાસ માટે આ બધુ જ કરવુ પડતુ હોય છે અને વસ્તી વધે તેમ જરૂરી પણ બનતુ હોય છે,પણ સાથે કુદરત સાથે એટલો જ તાલમેલ જરૂરી છે.સુરતે પોતાના અનુભવો માંથી ઘણુ શીખી લીધુ હોય તેમ જણાયા વગર રહેતુ નથી..સ્થાનિક પ્રજા કરતા માઈગ્રંટ પ્રજાનો દર સતત વધતો રહે છે.લોકો મોજીલા અને જીવંત લાગ્યા.:)) અને હા ટ્રાફીકની સમસ્યા તો દરેક જગ્યાની જેમ અહી પણ જોવા મળી.
તા.૨૫.૦૨.૨૦૧૨ ને સવારે ૭.૦૦ વાગે સુરત સ્થિત મારા મિત્ર શ્રી નવનિતભાઈ પટેલ સાથે તેમના ગામ કુડસદ ગામની મુલાકાત નો કાર્યક્રમ નિર્ધારિત હતો અને તે મુજબ ભાઈ શ્રી નવનિતભાઈએ આગલી રાત્રે ફોન કરીને વહેલા તૈયાર થવા જણાવી દીધુ હતુ. કુડસદ ગામની મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ નહેરો ના પાણીના યોગ્ય સંચાલન માટે ચાલતી પીયત મંડળીઓ વિશે જાણવાનો,શેરડીની ખેતી જોવાનો તેમજ ગ્રામજનો ચાલતા સમગ્ર ગામ માટેના RO Water Plant વિશે જાણકારી મેળવવાનો હતો.
સતત મુલાકાતો થી શરીર થાકી તો ગયુ હતુ પણ અમારી પાસે સમય પણ ઓછો હતો એટલે ૨૫ મી ફેબ્રુઆરીએ સવારે ૭.૩૦ વાગે અમે તૈયાર થઈ ગયા અને સમયાનુસાર શ્રી નવનીતભાઈ અમને પોતાની મારૂતિ ગાડીમાં અમને લેવા આવી પહોંચ્યા,પ્રથમ અમને તેઓ તેમના સુરત ખાતેના ઘરે લઈ ગયા ત્યા સેવ-ખમણી અને જલેબીનો નાસ્તો કરી અમે કુડસદ તરફ પ્રયાણ કર્યુ.આશરે સુરત થી ૨૬ કી.મી દૂર આવેલ કુડસદ ગામ નવનિતભાઈ નું વતન છે,રસ્તા માં નવનિતભાઈ અમને સુરત વિશે તેમજ કુડસદ ગામ વિશે પ્રારંભિક માહિતી આપતા રહેતા હતા તથા આજુબાજુના સ્થળો વિશે તથા ખેતી ની જમીનોના થઈ રહેલ વ્યાપારીકરણ તેમજ ખેતીની જમીન માં ઇંડસ્ટ્રીયલ ઇમારતો ના થઈ રહેલા વધારા સામે ચિંતા વ્યકત કરી રહ્યા હતા,તેમની વાત સાચી છે,પૈસાના લોભ માં ખેડૂત પોતાની જમીન વેચવા માંડ્યો છે,જો કે આ હકિકત દરેક જગ્યાએ બની રહી છે,એ સુરત હોય ,અમદાવાદ હોય,પાલનપુર હોય કે પછી વડગામ હોય દરેક જગ્યાએ આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે.
ખેડુત જમીન વેચી તો શકશે પણ જમીન ખરીદી નહિ શકે,અને લોકો ધિરે ધિરે બચેલ કુદરતી વાતાવરણને પણ જાણે છોડતા જાય છે.નવનિતભાઈએ જણાવ્યુ કે ખેડુત જમીન વેચીને પૈસા બનાવે તેના કરતા કઇંક ઇનોવેશન કરે,કઇંક નવુ કરે અને જે છે તેમાં વધારો કરે તો સાચી પ્રગતી થઈ ગણાય નહિ તો બધી ભ્રામક પ્રગતી છે,આમ નવનિતભાઈ સાથેની વાતો માં ક્યારે કુડસદ ગામ માં પ્રવેશ કરી લીધો તેનો અમને ખ્યાલ પણ ના આવ્યો.કુડસદ આમતો અન્ય ગામો જેવુ સામાન્ય ગામ જ જણાયુ,પણ જ્યારે અમે ત્રણ થી ચાર કલાક ગામની મુલાકાત લીધી ત્યારે અમને ઘણુ શીખવાનું ,નવુ જાણવાનું અને અનુભવવાનું મળ્યુ.પ્રથમ અમે ગામ ના ગોદરે બેઠેલ ગામના આગેવાનો પાસે જઈ પહોંચ્યા જ્યા અમને નવનિતભાઈએ દરેકની ઓળખાણ કરાવી તેમજ અમારી કુડસદ ગામની મુલાકાત વિશે પ્રયોજન સમજાવ્યુ.પ્રથમ અમે ગામ ધ્વારા સંચાલિત પીવાના પાણીનો RO પ્લાનટ જોવા ગયા.દ્રષ્ટિ હોય તો લોકઉપયોગી કેવા કાર્યો થઈ શકે તે આ RO પ્લાનટ જોઈને સમજાયુ.ગામના એક મુખ્ય દાતા ધ્વારા દાન આપીને માત્ર ૨.૫ લાખના ખર્ચે આ RO પ્લાનટની સગવડ ગામના દરેક વ્યક્તિ માટે ઉભી કરવામાં આવે છે,જ્યાંથી દરરોજ કેરબા ધ્વારા ગામના દરેક વ્યક્તિના ઘર સુધી શુધ્ધ પાણી માત્ર .૪૦ પૈસા લિટરના ભાવે પહોચાડવામાં આવે છે,એટલુ જ નહિ રોજ બરોજ ની આ વ્યવ્સ્થા માટે એક વ્યક્તિની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવેલ છે,જે વહિવટી હિસાબો અને અન્ય વ્યવસ્થાનું સુપેરે સંચાલન કરે છે.પ્લાંટની સ્વછતાનું પણ એટલુ જ ધ્યાન રાખવામાં આવે છે.લોકોને દૈનિક પીવા લાયક શુધ્ધ પાણી તો સસ્તા ભાવે મળે છે સાથે સાથે ગામના એક વ્યક્તીને રોજગારી પણ ઉપલબ્ધ થાય છે,કેવુ સરસ આયોજન.બધા જ ગામોમાં અન્ય જગ્યા એ ખર્ચ કરવામાં આવતા નાણા આવી વ્યવ્સ્થા ઉભી કરવામાં વાપરવામાં આવે તો ? ત્યારબાદ ગામ માં અમને અનેક જગ્યાએ નહેરો જોવા મળી તેથી નવનિતભાઈ અમને આ નહેરોના પાણીની વયવ્સ્થા માટે સહકારી ધોરણે સ્થાપિત પિયત મંડળી જોવા લઈ ગયા.ત્યા ઉપસ્થિત ગામના સરપંચ અને દૂધ મંડળીના ચેરમેન શ્રી સન્મુખભાઈ પટેલ,બેંકના પૂર્વ મેનેજર અને સેવા મંડળીના ચેરમેન શ્રી બેચરકાકા,દૂધ મંડળીના મેનેજર શ્રી રાજુભાઈ તથા પિયત મંડળીના વા.ચેરમેને અમને મજાની લસ્સી પાઈને સ્વાગત કર્યુ અને પિયત મંડળી અને તેની કામગીરી વિશે અમને વિશેષ માહિતી પુરી પાડી.તેઓશ્રી એ જણાવ્યુ કે હાલ માં કુડસડ ગામ માં ૧૪૦૦ હેક્ટર જમીન ની નહેરોના પાણી થકી સિંચાઈ થાય છે.
અને ખેડૂતને હેકટર દિઠ વાર્ષિક રૂ.૧૪૦૦ પાણીનો ચાર્જ ભરવો પડે છે.મે પ્રશ્ન કર્યો કે પિયત મંડળી શુ છે? અને તેની રચના કેમ કરવામાં આવી ? અને તેના ફાયદા શુ ? ઉપસ્થિત આગેવાનોએ મારા પ્રશ્ન નો જવાબ આપતા સમજાવ્યુ કે સરકાર નહેરો બનાવે પણ લોકો પિયત સર્વેક્ષણ ફોર્મમાં ભરવાની વિગતો પુરી ના ભરે,યોગ્ય વસુલાત થતી નહોતી તથા એકવાર સરકાર નહેર બનાવે પછી એનું કોઈ મેન્ટેનંશ થતુ નહોતુ.ગામ માં ખેતી કરતા ૧૦૦% ખેડૂતો નહેર સિંચાઈનો લાભ લે છે,કોઈ જગ્યાએ કુવાઓ નથી.પછી સરકારે અને ગામ લોકો એ વિચાર્યુ કે ગામ માં સહકારી ધોરણે પિયત મંડળીની સ્થાપના કરવામાં આવે તો ઘણી સમસ્યાનું સમાધાન શક્ય બને.
ત્યાર બાદ ગામ માંથી અમુક લોકોની કમિટી બનાવવામાં આવી,આ કમિટી માંથી બે સભ્યો તેમજ સરકારના બે સભ્યો યોગ્ય રીતે ખેડૂતોના પિયત સર્વેક્ષણ ફોર્મ ભરે,પાણીના ચાર્જ ની સમયસર યોગ્ય વસુલાત કરે જેથી નહેરોના પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે,આ ઉપરાંત થતી આવકના ૫૦% સરકાર લે તથા ૫૦% પિયત મંડળી ખાતે જમાં થાય,આમ મંડળીને જે ૫૦% આવક થાય તેમાંથી ૩૦% નહેરોની મરામત પાછળ ખર્ચાય ,૨૦% વહીવટી ખર્ચા માટે,જેમાંથી જે ખેડૂત સમયસર થતો પાણીનો ચાર્જ ચુકવે તેને રીબેટ પણ મળે.ઘણી વખત ખેડૂતે પાણીના ભરવાના થતા નાણા ના બિલ મંડળી ધ્વારા સુગર ફેક્ટરી ને મોકલી આપવામાં આવે અને જ્યારે ખેડૂત પોતાની શેરડી આવી સુગર ફેક્ટરી માં મોકલે ત્યારે તેને થતી આવક માંથી આ પાણીનો ચાર્જ કાપી વધેલ રકમ ખેડૂતોને આપવામાં આવે અને સુગર ફેક્ટરી કપાત કરેલ પાણીની રકમ પીયત મંડળીને પહોચાડી આપે.
આમ જ્યારે પીયત મંડળીની સ્થાપના થઈ નહતી ત્યારે ૧૦૦% રકમ સરકાર લઈ જતી હતી અને અન્ય લાભો ગામ લોકોને મળતા નહોતા.પિયત મંડળીની સ્થાપના થી ગામ લોકો માટે નહેરો નો ઉપયોગ કરવાનું સરળ તેમજ લાભપ્રદ બન્યુ તેમજ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યુ. ત્યારબાદ અમે ગામની દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીની પણ મુલાકાત લીધી.૧૯૭૬ થી તે આજ સુધી ગામની દૂધ મંડળીમાં ચુંટણી થઈ નથી તે જાણી વિશેષ આનંદ થયો.
પિયત મંડળીનો સંપૂણ વહિવટ ગામના યુવાનો ધ્વારા સંભાળવામાં આવે છે.કુડસદ ગામ માં રનછોડરાય નું ભવ્ય મંદિર આવેલ છે જે નવનિતભાઈ ના જણાવ્યા અનુસાર મીની ડાકોર તરીકે ઓળખાય છે,અમે પણ આ ભવ્ય મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવી અમારો આગળનો પડાવ શેરડીના ખેતરો જોવા નો હતો.નવનીતભાઈ ની લગભગ ૯૦ વિઘા જમીન માં શેરડીનું વાવેતર કરવામાં આવેલ છે,ગામ માં આમ તો મોટે ભાગે શેરડીનું વાવેતર કરવામાં આવે છે,પણ ક્યાંક ક્યાંક અમને તુવેર, ઘઉં વગેરે પાકો પણ જોવા મળ્યા,શેરડી લાયક કાળી જમીન અને પુષ્કળ પાણી ની નહેરો ધ્વારા સુવિધા ઉપલબ્ધ હોવાથી સર્વત્ર શેરડીના પાકો લહેરાતા જોઈ શકાતા હતા.
ગામ થી ઘણી દૂર નવનિતભાઈ અમને તેમના શેરડીના ખેતર જોવા લઈ ગયા અને શેરડી ની વિવિધ જાતો વિશે સમજ આપી.શેરડી માં પણ અનેક જાતની શેરડી આવે છે તથા શેરડીમાં પણ રોગ આવતો હોવાથી ઘણી વાર ખેડૂતોને મોટુ નુકશાન વેઠવુ પડતુ હોય છે.વિશાળ જગ્યા માં પથરાયેલ નવનિતભાઈના ખેતર અને લહેરાતી શેરડીના પાકો અને સાથે દરેક ખેતરને સાંકળતી નહેરો જોઈને કુદરત ના ખોળે મન પુલકિત થઈ ઉઠ્યુ.ચાલી ચાલી અને અમે તો થાકી ગયા,ત્યારે નવનિતભાઈએ અમને એક ઉચ્ચ જાતની શેરડીના ખેતર માં લઈ ગયા અને શેરડી કાપીને ટેસ્ટ કરવા આપી..આહા શુ સ્વાદ હતો એ શેરડીમાં સાથે અમને અમુક શેરડીના સાંઠા પણ બાંધી આપ્યા. નવનિતભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે થી નવેમ્બર મહિનામાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે અને ઓક્ટોબર મહિનામાં તેનું કટિગ કરવામાં આવે છે.શેરડી કાપવા માટે સુગરમીલના મજુરો આવે છે.નવનિતભાઈના જણાવ્યા અનુસાર હજુ પણ ખેડૂતોને શેરડીના પુરતા ભાવ મળતા નથી,આમ શેરડીની ખેતી નો સ્વાનુભવ લઈ અમે પરત કુડસદ ગામ માં નવનિતભાઈના ઘરે આવી હાથ-પગ ધોઈ ફ્રેશ થઈ ઠંડુ પી અમારે ઉતાવળ હોવાથી કુડસદ ગામ થી વિશેષ અનુભવ અને જાણકારી મેળવી વિદાય લીધી.
રસ્તા મા બે નવીન બાબતો જોવા અને જાણવા મળી એક તો જમીન નું સમાંતર લેવલીંગ કરવા માટેનું લેસર સોફ્ટવેર ટેકનોલોજી મશીન જે કુડસદ અને આસપાસના ખેડૂતો પોતાની જમીન લેવેલીંગ માટે આ ટેકનોલોજી નો ઉપયોગ કરે છે તે અમે નજરે જોયુ અને જાણ્યુ .એકદમ પર્ફેક્ટ રીજલ્ટ આપતુ આ સોફ્ટ્વેર ગજબનું કામ કરી રહ્યુ હતુ.ખાસ કરીને શેરડીની જમીન સમાંતર હોવી જોઈએ જેથી કરીને પાણી સરળતાથી દરેક જગ્યાએ પહોંચી શકે,ખાડો હોય તો શેરડી થાય નહી. વિજ્ઞાન અને ટેકનોલોજી નો ખેતીમાં ઉપયોગનો એક વધુ પ્રયોગ આ લેસર ટેકનોલોજી થી જમીન લેવલીંગ નો જોવા અને જાણવા મળ્યો.
અમે આ લેસર સોફ્ટવેર થકી જમીન લેવલીંગ નો ભાવ પૂછ્યો તો જાણવા મળ્યુ કે કલાકના રૂ.૬૦૦/-ના દરે કામ થાય છે.ત્યાંથી અમે આગળ વધ્યા અને હવે નવનીતભાઈ અમને તાપી નદી માંથી આવતી મુખ્ય નહેર જોવા લઈ ગયા,જ્યાંથી અનેક નહેરો કુડસદ અને આસ્પાસના ગામો માં પહોંચે છે,મુખ્ય નહેર જોઈને અમે તો છક્ક થઈ ગયા,લાગે કે જાણે કોઈ કાશ્મીરના ભાગમાં આવી ગયા છીએ એવુ સુંદર અને નયોરમ્ય કુદરતી દ્રશ્ય જોવા મળ્યુ,વિચાર આવ્યો અમારા વડગામ તાલુકામાં આવી વ્યવ્સ્થા ક્યારે થશે? મુખ્ય નહેરની જગ્યાએ શાંતિ થી થોડો સમય બેઠા.
હવે નવનિતભાઈ અમને સુરતમાં આવેલ શ્રી મોટાના આશ્રમની મુલાકાતે લઈ જઈ રહ્યા હતા.મુસાફરી દરમિયાન નવનિતભાઈ અમને સતત વિવિધ બબતો થી માહિતગાર કરતા રહેતા હતા.શ્રી મોટાના આશ્રમ માં પહોંચ્યા તો જાણે સ્વર્ગ માં આવી ગયા હોઈએ તેવો ભાસ થયો.નીરવ શાંતિ વચ્ચે સ્થિત શ્રી મોટાના આશ્રમમાં કુદરતી માહોલ જોવા મળી રહ્યો હતો,
પાસેથી તાપી નદી શાંત ચિત્તે વહેતી હતી,આ તાપી નદીને જોઈને મને સુરતની પુર હોનારત યાદ આવી ગઈ અને મનમાં વિચાર આવ્યો કે શાંત જણાતી તાપી નદી સમય આવે કેવુ રોદ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે.જો કે હાલ માં તો સરકાર ધ્વારા પુર રક્ષક મોટી દિવાલો બનાવવવામાં આવી છે,જેથી પાણીને શહેરમાં આવતુ રોકી શકાય.
શ્રી મોટાના આશ્રમ માં મૌન ને વિશેષ મહત્વ આપવામાં આવે છે.અને તેથી મૌન મંદિરો ની સ્થાપના શ્રી મોટા ધ્વારા કરવામાં આવી છે.આવા મૌન મંદિરો અમે શ્રી મોટાના આશ્રમ માં જોયા જ્યા વ્યક્તી ૧ થી માંડીને ૭ દિવસ સુધી એકલો એકાંતમાં આવી ઓરડીમાં રહી ઇશ્વર સ્મરણ કરી શકે છે.શ્રી મોટા ધાર્મિક ક્રિયાકાંડો માં ઓછુ માનતા તેઓ એ પોતાને મળેલ દાન ની રકમો શિક્ષણ અને રીસર્ચ પાછળ પુષ્કળ પ્રમાણ માં ફાળવી છે.શ્રી મોટાના આશ્રમ માં ધ્યાન કરી શકાય તેવા ખંડો અને એકાંત માં વાચન કરી શકાય તેવી સવલતો જોવા મળી.આપણને ઇચ્છા જ થઈ જાય કે કલાક બે કલાક અહી બેસીએ.મને તો લાગે છે કે દરેક ગામ માં અને શહેરો માં આવી સગવડ હોવી જોઈએ જ્યા કોઈ પણ વ્યક્તી કોઈ પણ ખલેલ વગર શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરી શકે,ધ્યાન ધરી શકે,અને વાંચન કરી શકે,આજના ધમાલ ભર્યા જીવન માં આવા સ્થળો માનવજાતને ઉપકારક સાબીત થઈ શકે તે કદાચ વર્ષો પહેલા પૂજ્ય શ્રી મોટા જાણી ગયા હશે…આશ્રમ માં ચા-નાસ્તો કરી પૂજ્ય શ્રી મોટાના દર્શન કરી અમે શ્રી મોટા ધ્વારા લખાયેલા પુસ્તકો ખરીદ્યા.આવા સંત પુરુષ પ્રત્યે અને તેમના સમાજ ઉપયોગી કાર્યો વિશે જાણી જીવન માં શાનું મહત્વ હોવુ જોઈએ અને શુ કરવુ જોઈએ તે જાણ્યુ અને નતમસ્તકે આ મહામાનવને પ્રણામ કરી આશ્રમની વિદાય લીધી.સુરત ને ઘમરોળતા નવનીતભાઈ અમને પોતાની ગાડીમાં સુરત શહેરની પરીક્રમાં કરાવી અમારે ઉતારે છોડવા આવ્યા ત્યારે સાંજના ૪ વાગી ચુક્યા હતા.થાક તો એવો લાગ્યો હતો કે ના પૂછો વાત હજી સુરતના બે મહાનુભાવોને મળવાનું હતુ.સમય બહુ ઓછો હતો રાત્રે ૧૧ વાગે પાલનપુર જવા બસ પકડવાની હતી.થયુ ચાલો ઉતારે જઈ ફ્રેશ થઈ થોડો આરામ કરી પછી બાકી રહી ગયેલ મહાનુભાવોની મુલાકાત લઈએ.ત્યાતો ઉતારે બચપણના મિત્ર ભરતભાઈ રાહ જોઈને બેઠા હતા.તેઓ પણ એક લગ્ન માં હોવાથી તથા લગ્ન મંડપ ની જવાબદારી હોવાથી વ્યસ્ત હતા છંતા અમને તેમના ઘરે ચા-પાણી કરવા લેવા આવ્યા હતા,તેમને ઘણી ના પાડી અને કહ્યુ કે ભાઈ અમે થાકી ગયા છીએ ફરી કોઈ વખત આપના ઘરની મુલાકાત લઈશુ પણ માને તો ભરતભાઈ શાના ? ઝગડો કર્યો અને અંતે અમને તેમના ઘરે લઈ જઈને ઝપ્યા.ત્યાંથી ચા-પાણી કરીને ભરતભાઈ ને અને તેમના કુટુંબને લગ્ન પ્રસંગ માં જવાનું હોવાથી તેમને વિદાય કરી અમે તે વિસ્તારમાં જ રહેતા વડગામના બાબુભાઈને ઘરે જવા નીકળ્યા,અમારા આવવાના સમાચાર થી બાબુભાઈ હિરાની ઓફીસથી વહેલા થકા આવી ગયા અને અમને તેમના ઘરે લઈ ગયા,અમને એમ કે ચા પી ને સમાચાર લઈને નીકળી જાશુ જે થી બજાર માં થોડા રહેલા સમયમાં ખરીદી કરી શકાય,ત્યા તો એક મિત્ર લવજીભાઈ નકરાણીનો ફોન આવ્યો કે નિતિનભાઈ હુ ઘરે તમારી રાહ જોઈને બેઠો છુ,જમવાનું આપણા ત્યા છે,પણ બાબુભાઈ ના પત્નિ બબીબેને અમારા માટે ઇડલીનો સરસ નાસ્તો તૈયાર કરી નાખ્યો હતો અને અમને ખબર પણ ના પડે તેમ શીરો પણ બનાવી નાખ્યો આમ અમને ભરપુર જમાડ્યા,સામાજિક રીત-રીવાજ મુજબ પેંટ પીસ ઓઢાડ્યા અને વાતો કરી ત્યા સુધી રાતના આઠ વાગી ચુક્યા હતા અને હવે અમારી પાસે માત્ર ત્રણેક કલાક જેટલો ઓછો સમય હતો,એટલે બાબુભાઈની ખુબ જ મનવર છંતા અમે ત્યાંથી વિદાય લઈ ઉતારે પહોચ્યા,ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા.સુરતની ખુબ જ વખણાતી ઘારી અને સુત્તરફેણી ખરીદવાની તો હજી બાકી હતી. ઝટપટ તૈયાર થઈ સુરતની પ્રખ્યાત મોહન મીઠાઈની દુકાને પહોંચી ગયા અને સુરતની યાદગીરી રૂપે વાનગીઓ ખરીદી પેક કરી અને રાત્રે ૧૦.૪૫ વાગે પાલનપુર જવા માન ટ્રાવેલની બસ ની રાહ જોઈને સુરતના ઉનાપાણી રોડ ઉપર ઉભા હતા ત્યારે સુરતની ૪૮ કલાલની સફર મનમાં ફરી રહી હતી અને મનોમન વિચારી રહ્યો હતો બે દિવસની તે સુરતની મુલાકાત કરાતી હશે ? આવુ શહેર,આવા લોકો વચ્ચે નિરાંતે સમય લઈને આવવુ પડે,પણ અમારી પણ મજબૂરી હતી રવિવારે સવારે કુટુંબમાં એક લગ્ન-પ્રસંગ માં હાજરી આપવાની હતી.સુરત માં ગાળેલ ૪૮ કલાક દરમિયાન પુરતી ઉંઘ અને આરામ ના લિધો હોવા છંતા આ શહેર માં આ શહેરના લોકોમાં એવુ કઈંક હતુ જે અમને ઠંડી હવાની જેમ તરોતાજા બનાવી દેતુ હતુ.રાત્રે જ્યારે ૧૧-૦૦ કલાકે માન ટ્રાવેલ્સની અમારી બસ સુરતથી ઉપડી ત્યારે સુરતના સબંધીઓને,મિત્રોને અને આ શહેરને સલામ કરી,અનુભવનું એક ભાથુ બાંધી અમે વડગામ પહોચવાની ચિંતામાં બસમાં સુઈ ગયા.
અંતે ફરી ફરીને મુલાકાત લેવાનું મન થાય તેવી ધરતી વિશે કહી શકાય કે
“આહ સુરત ! વાહ સુરત ! તારી સાથે ગુજારેલ હરએક પળ ખૂબસુરત”…….:)))
નીતિનભાઈ ખુબ સરસ માહિતીસભર લેખ તૈયાર કર્યો છે, લેખમાં તમારી તમારા વતન પ્રત્યે ની લાગણી છલોછલ ભરેલી હોય તેની પ્રતીતિ થાય છે,તમે સતત તમે વતન પ્રત્યે સુ કરી શકો તેજ વિચારતા હોવ છો,ધન્ય છે તમને,
સ્નેહી નીતિનભાઈ,
તમારો લેખ તો ફક્ત સેમ્પલ છે જયારે બીજીવાર સુરતની મુલાકાત લેશો અને વધારે રહેશો તો ચોક્કસ એક ચોપડી છપાઈ જાય એટલું લખશો એમાં શંકા નથી. વતનનો પ્રેમ એક અલગ જ હોય છે. મારો જન્મ સુરતમાં જ થયો અને ૭-૮ વર્ષ સુરત રહ્યો હઈશ અને બાકીની જિંદગી તો વણઝારાની જેમ ઘણી જગ્યાએ ફર્યો છું. છતાં વતન પ્રેમને લઈને મેં મારા બ્લોગનું નામ “સુરતીઉધીયું” આપ્યું છે જે બતાવે છે કે વતનમાટે માણસને કેટલી બધી મમતા હોય છે. સુરતીઓ લહેરીલાલા ખરા પરંતુ અહિયા જે માણસ થોડો વખત રહે તે પણ સુરતીલાલો થઇ જાય છે. સુરતની પ્રગતિમાં આ બધાનો ફાળો પણ સુરતી લોકો જેટલો જ છે. સુરત માટે એક જ દાખલો આપું કે આજે બધે ઝું(પ્રાણી સંગ્રહાલયો) મૃતપાય દશામાં છે તો સુરતમાં ઝું ન હતો ત્યાં આજે એક નવું સુંદર ઝું છે અને તે પણ નફો કરે છે. એક વખત તમે ભાગળથી નવસારી બજાર જાંવ તો બસમાં પણ તમારે ગોલવાડ પાસે નાક ઉપર રૂમાલ રાખવો પડે એવી હાલત હતી અને આજે ૩૬૦ ડીગ્રીનો ફરક થઇ ગયો છે. સુરતને કુદરતે જાપાનની જેમ આફતો પણ ખુબ આપી છે પરંતુ સુરતીઓ પણ જાપાનીસ જેવા છે. હું ભણતો હતો ત્યારે ત્યાના ખત્રી લોકોને જર્મન પ્રજા કહેવામાં આવતી હતી. ખત્રી પુરુષ કોઈના કારખાનામાં માસ્ટર તરીકે કામ કરે, તેની પત્ની રસોડામાં રસોઈની સાથે સાથે સંચા(લુમ્સ)ના ટેબલ ઉપર બેસીને સંચા ચલાવવાની સાથે સાથે છોકરાને લેસન કરાવે અને શાક સમારતી જાય આવી મહેનતુ પ્રજા આગળ તો જાપાનીસ પણ ફીકા પડે. સુરતીઓને ધંધાની સુઝ અજબની છે. પહેલા ટોપીઓ પર ટીકી ભરતા, પછી જરી-કસબ તો કોઈ સોનાના તાર ખેચાતા,પછી યાર્નમાંથી લુમ્સ પર કાપડ,લુંગી,પછી હીરા ઉદ્યોગ એમ સમય સાથે ધંધો બદલતા ગયા અને સાથે સાથે જેટલું કમાતા તેમાંથી બચતની જગ્યાએ મોજ-મઝા પણ કરતાં અને જેને લઈને પૈસાનું રોટેશન ખુબ ફાસ્ટ થાય અને બધા જ ધંધાવાળા પૈસા કમાય. જયારે બીજે બધે લોકો બચત વધારે કરે એટલે પૈસા બજારમાં ફરતા બંધ થઇ જાય. બંધિયાર પાણી ગંધાય જાય એવી સીધી સાદી વાત છે. લખવા માટે ઘણું છે પણ વખત ઓછો પડે છે. ટાઈમ મળે તો મારા નીચેના બ્લોગની મુલાકાત લેવા વિનંતી કરું છું.
વિપુલ એમ દેસાઈના સ્નેહ્સ્મરણ
http://suratiundhiyu.wordpress.com/
Nice story for surat
ખરેખર મૌલિક લખાણ છે નિતીનભાઇ…
કાકાસાહેબ કાલેલકરને યાદ કરાવી દીધા તમે,,, બહુજ સરસ નિતીનભાઇ,
આપ વતનથી દુર વસતા લોકોને વતનથી જોડવા માટેના ફાયબર કેબલ નુ કામ કરી રહ્યા છો.
very truly said about SURAT nicely written
Very nicely covered busy and enjoying Surat… Truly Nice…
Really wonderful——-You wrote beyond the limit like a very senior poet and maintaining high accuracy in GUJARATI language written with deep hearty and Elemental thoughts.
KEEP IT UP —————-